હળવદ : મયુરનગરમાં ગૌવંશ પર અસામાજિક તત્વોનો હિંચકારી હુમલો

- text


જીવદયા પ્રેમીઓ માં રોષ ની લાગણી ફેલાઇ

હળવદ : હળવદ તાલુકા માં છેલ્લા એક મહિના થી વિવિધ ગામો માં ગૌવશ પર હુમલાઓ કરી ઈજાઓ પહોંચાડી દેવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આજે સવારે હળવદ તાલુકા ના મયુરનગર ગમે ૨ ગૌવંશ પર કોઈ અસામાજિક તત્વો એ ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે એ વાત ની જાણ ગૌસેવકો ને થતા તાત્કાલિક પશુ ડોકટર ને બોલાવી અને સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે મોરબી શ્રી યદુનંદન ગૌશાળા એ રીફર કરવા માટે ની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે

- text

ત્યારે હળવદ તાલુકા માં છાસવારે ગૌમાતા અને ગૌવંશ પર થતા હુમલાઓ થી જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ ની લાગણી ફેલાઇ છે ત્યારે હળવદ પી.આઈ ને જાણ કરતા બીટ જમાદાર હરેશભાઇ ચાવડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ અને તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ રસ લઈને આ કામ ના આરોપી ને પકડી કાયદા નું ભાન કરાવે તેવી લોકો અને જીવદયા પ્રેમીઓ ની માંગ છે.

 

- text