મોરબીના બંધુનગર ગામ પાસે લકઝરી બસ હડફેટે રાહદારી યુવાનનું મોત

- text


 

મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે લકઝરી બસે રાહદારી યુવાને ઠોકરે ચડાવતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે તાલુકા પોલીસે લકઝરી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવના મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૂળ ઝારખંડના વતની અને હાલ મોરબી તાલુકાના બંધુનગર ગામે આવેલા મનીષ સીરામીક કારખાનામાં કામ કરતા અને આ કારખાનાની ઓરડીમાં રહેતા ગુરુચરણ સાધુચરણ બાનરા અને તેરવાભાઈ શોકતભાઈ ગઈકાલે મોડીસાંજના સમયે મનીષ સીરામીક કારખાના નજીક રોડ ઉપર ચાલીને પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી જી.જે.3 એ.ઝેડ 9743 નંબરની ખાનગી લકઝરી બસની હડફેટે તેરવાભાઈ શોકતભાઈ ચડી જતા તેમને ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ગુરુચરણ બાનરાએ તાલુકા પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text