મોરબીના વાધપર ગામે ભાગવત કથામાં આજે રાત્રે સંતવાણી

- text


મોરબી : મોરબીના વાધપર પિલુડી ગામે ભાગવત કથા ચાલી રહી છે.ત્યારે આ ભાગવત કથાના આજે ત્રીજા દિવસે રાત્રે પટેલ સમાજ વાડી, વાધપર ગામે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત કલાકારો અલપાબેન પટેલ,નિલેશભાઈ ગઢવી, મનસુખભાઇ વસોયા સહિતના સંતવાણીની જમાવટ કરશે.આ સંતવાણીનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text