વાંકાનેર નેશનલ હાઇવે પરથી આધેડ શખ્સની લાશ મળી

- text


વાંકાનેર નેશનલ હાઈવે પર મચ્છુ નદીના પુલના છેડે દેવીપુજકવાસ ના પગથીયા પાસે થી આધેડ સખ્સની લાશ મળતા પોલીસે તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરેલ છે. મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળતા તે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પ્રભુભાઈ લધુભાઈ વરાણીયા ઉમર વર્ષ 55 હોવાનું જાહેર થયેલ છે અને તેઓ કોઈ અગમ્ય કારણોસર મરણ જતા પીએમ રિપોર્ટ બાદ વધુ વિગત સાંપડશે. આ બાબતની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ એચ.સી. પ્રદીપભાઈ બોરાણા ચલાવી રહ્યા છે

- text