મોરબીના જૂની પીપળી ગામે આજે રાત્રે પર્યાવરણના જતન માટે ધૂન

- text


મોરબી: પર્યાવરણ અને વૃક્ષો ની સંપદા એ આપણા જીવનના અભિન્ન અંગો છે.અને પર્યાવરણ તથા વૃક્ષો નું જતન કરવું દરેક નાગરિકની નૈતિક ફરજ છે.તેથી લોકોમાં પર્યાવરણની જતનની સમાજ કેળવાય તે માટે વૃક્ષપ્રેમી મિત્ર મંડળ મોરબી વિરેચી આયુર્વેદિક પીપળી ,પરિશ્રમવન,આરોગ્ય ભારતીના કાર્યકર્તા દ્વારા મોરબી ના જૂની પિપળી ગામે જેતપર રોડ વૈદ્ય કિરતસિંહ ઝાલા ના નિવાસ સ્થાને તા.22 ને શનિવારે રાત્રે 9.30 થી 10.30 સુધી ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ચંદ્રશેખરભાઈ રંગપરીયા પર્યાવરણને તેની જાણવણી વિષે વિસ્તૃત સમજણ આપશે સાથે સાથ વિસ મિનિટ નો વનસ્પતિ સ્લાઈડ શો રાખવામાં આવ્યો છે. વધુ વિગતો માટે 9924344121, 9909744344 અને 9574888960 તથા 9879542100 ઉપર સંપર્ક કરવો.

- text