- text
મોરબી:મોરબીમાં ખારાકુવા શેરીના પરિવારો દ્વારા આગામી તા.29 થી તા.4 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રીજી નીખિલભાઈ જોશી કથાનું રસપાન તેમજ લાયન્સ કલબ નજરબાગ અને મોરબી સિટી તથા જીયુપીટર દ્વારા તા.1 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે ફ્રી ડાયાબીટીશ ચેકઅપ કેમ્પ યોજાશે.જેમાં લાયન્સ કલબ સૌરાષ્ટ્ર કચ્છના ડીસ્ટ્રીક ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરી તેમજ વિરેનભાઈ પાટડીયા,રમેશભાઈ રૂપાલા,જનકભાઈ નુરાની,પ્રોજેક્ટ ચેરમેન તુષારભાઈ દફતરી સહિતના હોદેદારો ઉપસ્થિત રહેશે તેથી આ ભાગવત કથા અને ડાયાબિટીસ કેમ્પનો લોકોને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.
- text