વાંકાનેરના રાતાવિરડામાં યુવકની હત્યા કરનાર બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા ગામે મોટર સાયકલમાંથી ચાવી કાઢવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાનની પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખવા મામલે પોલીસે ગણતરીની કલાકમાં જ એક પરપ્રાંતીય સહિત બે શખસોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા લખમણભાઇ જેરામભાઈ કુણપરાએ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવેલ કે તેમના દીકરા જગદીશ લખમણ કુણપરા ઉપર.વ.૪૦ ને આજથી એકાદ મહિના પહેલા મોટરસાયકલ ની ચાવી લેવા બાબતે માથાકૂટ થતા બે શખસોને તેમના પુત્રે ઢીકાપાટુનો માર મારેલ જે બાબતનો ખાર રાખી આરોપી
સંજય ભગવાનજી ઉકેડીયા રહે રાતાવિરડા અને સંદીપભાઈ રાયસીંગભાઈ માલવી રહે.હાલ સરતાનપર મૂળગામ નીપનીયા ધાકડ,એમ.પી. વાળાઓએ એક સંપ કરી મરણ જનારને જેમ ફાવે તેમ ભૂંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી બંને આરોપીઓએ મરણ જનારને નીચે પાડી દઈ પથ્થરના ઘા માથામાં પાછળના ભાગે અને આગળના ભાગે મારી ગંભીર ઇજા કરી ફરિયાદીના દીકરાનું મોત નિપજાવ્યુ હતું.

- text

આ હત્યા અંગે પોલીસે ગુન્હો દાખલ કરી ગણતરીની કલાકોમાં આરોપી સંજય ભગવાનજી ઉકેડીયા રહે રાતાવિરડા અને સંદીપભાઈ રાયસીંગભાઈ માલવી રહે.હાલ સરતાનપર મૂળગામ નીપનીયા ધાકડ,એમ.પી. વાળાઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

 

- text