રાજકોટમાં ટ્રેન હેઠળ કપાઈ જતા મોરબીના યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના લીલાપરમાં રહેતા જીતેન્દ્ર ધીરજલાલ વ્યાસ ઉ.વ.૩૨નું રાજકોટમાં મોરબી રોડ ઉપર સોહમનગર નજીક નાના ફાટક પાસે ટ્રેનમાંથી પડી જતા મોત નિપજ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

- text

રાજકોટમાં મોરબીરોડ પર વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા માતા પિતાને મળવા ટ્રેન મારફતે આવતો હતો અને અકસ્માત સર્જાયો હતો. સંભવત ઘર નજીક આવતા ચાલુ ટ્રેને ઉતરવા જતા અકસ્માતે પડી ગયાની પોલીસે આશંકા સેવી છે. મૃતક યુવાન સ્કૂલવેન ચલાવી જીવન નિર્વાહ ચલાવતો હોવાનું અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

- text