મોરબીમાં નૂતન વર્ષે પ્રજાપતિ પરિવારોનું સ્નેહ મિલન યોજાશે

- text


મોરબી : મોરબીમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 8ને બેસતા વર્ષે વરિયા માતાજીનું મંદિર, સો-ઓરડી ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

નૂતન વર્ષના પ્રથમ દિવસે સમાજના સર્વે ભાઈ બહેનોનું નવું વર્ષ લાભદાયી, શુભદાયી અને ફળદાયી રહે તે માટે શુભ કામનાઓ પાઠવવી પારંપરિક પરંપરા છે. પરંતુ સમયના અભાવે દરેક જ્ઞાતિજનો અને સ્નેહીજનોને મળી શકાતું નથી. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નવવર્ષના પ્રથમ દિવસે પ્રજાપતિ પરિવારના તમામ સદસ્યોમાં કુટુંબ અને સમાજ પ્રત્યે ઉત્તરદાયીત્વની ભાવના ખીલે અને એકબીજાને પ૨૨૫૨ હળે મળે તેમજ નવું વર્ષ સુખ, સમૃધ્ધી અને સ્વસ્થતા આપનારૂ બની રહે તેવી એકબીજાને મંગળ શુભકામનાઓ પાઠવવા માટે માં વરિયા માતાજીના સાનીધ્યમાં પ્રજાપતિ પરિવાર સ્નેહ મિલનનું આયોજનક૨વામાં આવ્યું છે.
જેમાં તમામ પ્રજાપતિ પરિવારોને સહ પરિવાર ઉપસ્થિત રહીને સમાજની એકતાને વધુ મજબુત બનાવવા પ્રજાપતિ યુવા ગ્રુપ મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text