મોરબી તાલુકાના રોડ રસ્તાના કામમાં ભાજપ નેતાને લીંબડ જસ ખાટવાની જરૂર નથી : ચિખલિયા

- text


મોરબી તાલુકાના રોડના કામો મંજુર કરવા મામલે રમાતું રાજકારણ : કોંગ્રેસના ધારાસભ્યની રજુઆતથી કામ મંજુર થયા હોવાનો જવાબ

મોરબી :મોરબી તાલુકાના રોડના કામો મંજુર કરાવવા મામલે રાજકીય રંગ પકડ્યો છે. અગાઉ મોરબી તાલુકા ભાજપ પ્રમુખે રોડના કામો મંજુર કરવા મામલે નિવેદન આપ્યા બાદ જીલ્લા પંચાયતના પ્રમુખે આકરી પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, રોડના કામો મંજુર કરવા માટે કોઈએ લીબંડજશ ખાટવો નહી જે તે વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યોની રજુઆતને પગલે આ રોડના કામો મંજુર થયા છે.

- text

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાસદડીયાએ તાજેતરમાં તાલુકાના જુદા જુદા ૧૩ ગામોને જોડતા માર્ગોના કામો ભાજપ સરકારે મંજુર કર્યાનું જાહેર કર્યું હતું. ત્યારે આ મામલે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ ભાજપ અગ્રણીના આ નિવેદન પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, રોડના કામો મંજુર કરવા મામલે કોઈએ લીબંડ જશ ખાટવાની જરૂરત નથી. કારણે કે જે તે વિસ્તારોના રોડના કામો મંજુર કરવા મામલે જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્યએ દરખાસ્તો કરેલી અને એના આધારે આ રોડના કામો મંજુર થયાનું જણાવતા આ મામલો રાજકીય બની ગયો છે. અને આગામી સમયમાં આ મુદે ભારે નવા-જુની થાય તેવા એંધાણો મળી રહ્યા છે.

- text