મોરબીના બગથળામાં નકલંકની જગ્યાએ ૮મીએ અન્નકૂટ દર્શન અને સંતવાણીનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના બગથળામાં આવેલ સુપ્રસિદ્ધ નકલંકની જગ્યા ખાતે આગામી તા. ૮ના રોજ બેસતા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકા બગથળામાં ગામ સમસ્ત અને નકલંકજી જગ્યાના મહંત દામજી ભગત દ્વારા તા. ૦૮ ને ગુરુવારે સવારે ૯ વાગ્યાથી અન્નકૂટ દર્શન તેમજ સવારે ૦૯ : ૩૦ કલાકથી મહાપ્રસાદ યોજાશે અને રાત્રીના ૦૯ : ૩૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ભજનિક લક્ષ્મણ બારોટ અને નિરંજન પંડ્યા અને હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા ભજનની રમઝટ બોલાવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text