વાંકાનેરના સતાપર ગામે રસોઈ બનાવતી વેળાએ દાઝી ગયેલ પરિણીતાનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના સતાપર ગામે રસોઈ બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા જશુબેન રાજુભાઇ ધોરીયા ગત તા. ૧૩ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતા હતા. તે દરમિયાન ચૂલામાં કેરોસીન નાખતી વેળાએ ભડકો થયો હતો. જેમાં તેઓ દાઝી ગયા હતા. જેથી તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text