મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન

- text


ફોર્મ ભરવાની પ્રક્રિયા ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે

મોરબી : મોરબી દશનામ ગોસ્વામી સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આગામી તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે.

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલા રામધન આશ્રમ ખાતે આગામી તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઇચ્છતા વર કન્યાના વાલીઓએ જન્મ તારીખના આધાર પુરાવા સાથે તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં સમિતિના સભ્ય પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી મો. નં. ૯૪૨૮૨ ૬૭૮૩૨ નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text