મોરબીના અગ્રણી મનસુખભાઈ કોરડીયા દ્વારા બે મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


કુંવરજીભાઇ બાવળિયા અને સૌરભભાઈ પટેલનું અદકેરું સન્માન કરાયું

મોરબી : મોરબીના પાટીદાર અગ્રણી મનસુખભાઇ કોરડીયાના સૌજન્યથી વીંછીયાના સનાળી ગામ ખાતે કુંવરજીભાઇ બાવળિયા અને સૌરભભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

વીંછીયા તાલુકાના સનાળી ગામે મોરબીના પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ મનસુખભાઇ કોરડીયાના સૌજન્યથી કડવા પાટીદાર સમાજ દ્વારા બે મંત્રીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને પાણી પુરવઠા, ગ્રામગૃહ નિર્માણ પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જસદણ વીંછીયા બેઠકના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text