મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વીર ભગતસિંહને અપાઈ વીરાંજલિ

- text


મોરબી : સામાજિક તેમજ સેવાકીય કાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગતસિંહના જન્મદિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગતસિંહની પ્રતિમાને દૂધ અભિષેક અને ફુલહાર કરી વીરાંજલિ આપવામાં આવી હતી.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વીર સપુત ભગતસિંહજીના જન્મદિવસ નિમિતે ભગતસિંહની પ્રતિમાને પ્રતિકરૂપે દૂધ અભિષેક કરી ફૂલહાર કરી વીરાંજલી આપવામાં આવી હતી. આ સાથે મોરબીવાસીઓને મીઠાઈઓ વેહચી અને વધાયું આપવામાં આવી હતી.તેમના જેવી વિરલ વ્યક્તિ પાછી આ ભારત દેશની પાવન ધરતી પર અવતરે તેવી પ્રાથના કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી..આ ઉજવણીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારી સહીત સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text