વાંકાનેર : સગીરાનું અપહરણ કરનાર બે ઝડપાયા : પોકસો હેઠળ ગુન્હો નોંધાયો

- text


સગીરાના મેડિકલ ચેકઅપ બાદ દુષ્કર્મ ગુજરાયું હોવાનો ધડાકો

વાંકાનેર : વાંકાનેરના ગારીડા ગામેથી સગીરાનું અપહરણ કરી જનારા બે શખ્સોને પોલીસે ઝડપી લઈ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલતા બન્ને શખસો વિરુદ્ધ પોલીસે પોકસો સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામેથી સગીરાનું અપહરણ થતા સગીરાના પિતાની ફરિયાદ બાદ પોલીસે લખમણ બેચર સરવૈયા અને અનિલ જેઠા ધોળકીયા વિરુદ્ધ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જવા અંગે ગુન્હો દાખલ કર્યો હતો.

વધુમાં આ મામલે વાંકાનેર સી.પી.આઈ. દ્વારા તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવતા તેમનો રિપોર્ટ આવતાં આરોપી વિરુદ્ધ પોકસો અને કલમ ૩૭૬ મુજબ ફરિયાદમાં ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text