ત્રાજપર ચોકડી નજીકથી લૂંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


એલસીબીએ વાંકાનેર પોલીસ મથકના ગુન્હામાં ફરાર શખ્સને દબોચ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી વાંકાનેરના લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ વાંકાનેર પોલીસને સોંપ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી વિજય જેસીંગભાઇ ચૌહાણ, રે. શોભેશ્વર મંદિર પાસે તા.જી.મોરબી વાળો મોરબી ત્રાજપર ચોકડી નજીક આવ્યો હોવાની બાતમી એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ભગીરથસિંહ ઝાલાને મળતા ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ સહિતની ટીમે ઝડપી લઈ આરોપીને વાંકાનેર પોલીસ મથકને હવાલે સોંપ્યો હતો.

- text