- text
તા.૧૯એ ભજન, કીર્તન અને રાસ મંડળ તેમજ તા.૨૦એ મહાપ્રસાદ અને સંતવાણી યોજાશે
મોરબી : મોરબીના કાલિકા પ્લોટ ખાતે આવેલા રામદેવપીર મંદીરે ત્રી દિવસીય ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આજે સવારે નેજો ચડાવવામાં આવ્યો હતો. આ તકે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- text
રામદેવપીર ઉત્સવ દરમિયાન આવતીકાલે તા.૧૯ના રોજ ભજન કીર્તન અને રાસ મંડળના કાર્યક્રમ યોજાશે. બાદમાં તા. ૨૦ના રોજ આરતી, બટુકભોજન, મહાપ્રસાદ યોજાશે ત્યારબાદ રાત્રે ૯ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક ઉત્સવમાં પધારવા માટે વ્યવસ્થાપક કમિટી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text