મોરબીમાં કાલે રવીવારે સ્વ.અટલજીની પુણ્યતિથિ નિમિતે કાવ્યાંજલિ કાર્યક્રમ

- text


જિલ્લા ભાજપનું આયોજન : કવિઓ સ્વ.અટલજીની કૃતિઓ સંભળાવશે

મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે રવિવારે ટાઉનહોલ ખાતે સ્વ. અટલજીની પ્રથમ પુણ્યતિથિએ કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આવતીકાલે રવિવારે પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપાયીની પ્રથમ માસિક પુણ્યતિથિ છે. ત્યારે તેઓને શ્રધાંજલિ પાઠવવા માટે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભાજપ દ્વારા કાલે રવિવારે સાંજે ૬ :૩૦ કલાકે નગરપાલિકાના ટાઉનહોલમાં કાવ્યાંજલિ કાર્યક્રમ યોજાશે.

આ કાવ્યાંજલિ કાર્યક્રમમાં નામાંકિત કવિઓ ઉપસ્થિત રહીને અટલ બિહારી વાજપાયીની કૃતિઓ સંભળાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text