વાંકાનેરમાં બાગબાન ૧૩૮ તમાકુમા ભેળસેળ ! ફરિયાદ નોંધાઇ

- text


બાગબાનના પ્રોપરાઈટરે ભેળસેળ કરતા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરમાં બાગબાન ૧૩૮ તમાકુમા ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. બાગબાનના પ્રોપરાઈટરે વાંકાનેરના એક શખ્સ સામે ભેળસેળ મામલે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે ટંકારા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

અમદાવાદના હિરેનભાઈ મુકેશભાઈ પટેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા સફીભાઈ અનવરભાઈ પરાસરા બાગબાન કંપનીના ખાલી ડબ્બા લઈને તેને ઉપરથી તેમજ નીચેના ભાગેથી તોડીને તેમાં અન્ય ૧૩૮ જેવા ફ્લેવર વાળી તમાકુ ભેળસેળ કરીને ડબ્બાને સીલ મારી ગ્રાહકોને વેચે છે. ફરિયાદના આધારે ટંકારા પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

- text