- text
મોરબી : પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની યાદમાં મોરબીના નાની વાવડી ચાર રસ્તાને અટલ ચાર રસ્તા નામકરણ કરવા વિજયશ્રી ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને “ભારત રત્ન” અટલબિહારી વાજપેયીજીની પ્રથમ માસિક પુણ્યતિથી તા.16/09 ના રોજ આવી રહી છે ત્યારે દેશની 125 કરોડ થી વધુ લોકોના પ્રિય અટલબિહારી વાજપેયીજીના અવસાન થી દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ શ્રદ્ધેય અટલજી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા તેઓની પ્રત્યેની આત્મીયતા અનુસંધાને મોરબી ખાતે વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ટ્રસ્ટી મંડળ તથા સભ્યોની ઉપસ્થિતિમાં સર્વ સંમતિ થી ઠરાવ કરવામાં આવ્યો હતો કે મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને “અટલ ચાર રસ્તા” (અટલચોક) નામ આપવામાં આવે.
- text
વધુમાં સમગ્ર ટ્રસ્ટ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલ માંગણી અનુસંધાને વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ લોખીલ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. મકડીયાને લેખિત રજૂઆત કરી મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને “અટલ ચાર રસ્તા” (અટલચોક) નામ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
- text