મોરબીના જાંબુડિયામાં ઝેરી અસરથી આઠ ગાયોના મોત : અરેરાટી

- text


જાંબુડિયાની સીમમાં ચારો ચારીને આવ્યા બાદ ગાયો ના ટપોટપ મોત : પશુ ડોકટર સહિતનો અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે

મોરબી : મોરબીના જાંબુડીયા નજીક આવેલ મચ્છોનગરમાં ગઈકાલે સીમમાંથી ઢોર ચરાવી આવેલા બે માલધારીઓની આઠ ગાયોને ઝેરી અસર થઈ જતા ટપોટપ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે, ઘટનાને પગલે પશુ ડોકટર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી રોડ પર આવેલ જાંબુડિયા વીડી નજીક મચ્છોનગર માં વસવાટ કરતા માલધારીઓ દ્વારા નિત્યક્રમ મુજબ ગઈકાલે સિમ વિસ્તારમાં ગાયો ચરાવી પરત ફરતા ઝેરી અસર થતા પાંચ ગાયોના ગઈકાલે સાંજે મોત નિપજ્યા હતા અને આજે સવારે પણ સિલસિલો ચાલુ રહેતા વધુ ત્રણ ગાયોના મોત નિપજ્યા હતા. વધુમાં આ ઘટનામાં માલાભાઈ કલાભાઈ સરૈયાની ત્રણ તથા અમરાભાઈ નાનુભાઈ સરૈયાની પાંચ ગાયોના મોત નિપજ્યા હતા જો કે હજુ પણ અનેક ગાયોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ આ ચોકવનારી ઘટનાની જાણ થતા પશુ ડોક્ટરની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ માટે દોડી ગયો છે અને મૃત્યુ પામેલી ગાયોના વિશેરાની તપાસ હાથ ધરી ગાયોના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે અને ગંભીર ગાયોની સારવાર પણ શરૂ કરવામાં આવી છે.

 

- text