મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તા. ૬થી પર્યુષણ પર્વની ઉજવણી

- text


તા. ૧૦ના રોજ સંઘ જમણનું આયોજન

મોરબી : મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા આગામી તા. ૬ થી ૧૨ સાત દિવસ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન તા.૧૦ના રોજ સંઘ જમણનું આયોજન પણ કરાયું છે.

આગામી તા. ૬થી ૧૨ સપ્ટેમ્બર સુધી મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. સાતેય દિવસના મુખ્ય દાતા શાંતાબેન અમૃતલાલ મોહનલાલ દોશી( ટંકારા વાળા) હસ્તે. ડો. કુસુમબેન અમૃતલાલ દોશી તથા વર્ષાબેન હિરેન્દ્રભાઈ દોશી રહ્યા છે.

- text

આ ઉપરાંત તા. ૧૦ને સોમવારે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, બેંક ઓફ બરોડા સામે બપોરે ૧૨:૩૦ કલાકે સંઘ જમણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

- text