ટંકારાના હડમતિયા અને લજાઈ ગામે બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરાયું

- text


હડમતીયા : શ્રાવણ વદ ચોથને આજે ગુરૂવાર તા. ૩૦ના દિવસે બોળચોથ છે. બોળ ચોથને બહુલા ચોથ પણ કહેવાય છે. બોળચોથ એ ગાયની સેવા પુજા માટેનો ઉત્તમ દિવસ છે. ગૌસેવા એજ પ્રભુસેવા ગાયમાં ત્રેતીસ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પુજા થઈ જાય તેમ માનવામા આવે છે. ત્યારે બોળચોથ નિમિત્તે ટંકારાના હડમતિયા અને લજાઈ ગામે બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરવામાં આવ્યું હતું.

ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે અને ભાગ્યોદય થાય છે. બોળચોથના દિવસે ગાયને ઝુલ-ઘંટડી અને ફુલહારના શણગારથી ગાયોને ધાસ નાખવું ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ ગૌસેવા માટે પ્રેરણા આપવી આ દિવસે ગાય વાછરડાનું સાથે પુજન કરવું બોળ ચોથના દિવસે ખાડવું નહિ, દળવું નહિ, છરી ચપ્પુંનો રસોઈમાં ઉપયોગ ન કરવો. તે ઉપરાંત ઘઉનો પણ આ દિવસે રસોઈમાં ઉપયોગ ન કરવો.

પહેલાના જમાતમાં એક પણ ઘર ગાય વગર ન હતું અને બળદ વગરનું ઘર ખેડુતનું ન હતું. જેની પાસે વધારે ગાયો હતી તે વધારે ધનવાન ગણાતા અને સવારમાં સૌપ્રથમ ગૌસેવા થતી હતી. પુરાણોમાં જોઈએ તો ઋતીમુનીઓ અને રાજાઅો પણ ગાયો રાખી તેનું પુજન અર્ચન કરતા. ભગવાનશ્રીકૃષ્ણે પણ ગૌસેવા કરેલી ગૌસેવા એજ પ્રભુસેવા

- text

કથા અનુસાર શ્રાવણ મહિનામાં એક ગામમાં સાસુમાં પોતાના વહુને કહે છે હું સ્નાન કરવા જાઉ છું તમે ઘઉલો ખાંડી રાખજો ઘઉલો એક વાનગીનું નામ છે. પરંતુ ઘરમાં વાછડાનું નામ ઘઉલો હતું આથી વહુ બહુ ભોળી હતી. વાછડાને ખાંડીને રાંધે છે. આ વાતની સાસુ માને ખબર પડે છે. દુઃખી થાય છે. સાંજના વાછરડાની માતા ગાય ઘરે પાછી આવે છે પોતાના વાછરડાને કયાય ન જોતા દુ:ખી થાય છે. ગાયની નજર રાંધેલા વછરડા પર પડે છે તે જોઈ ગાય તેમની પગની ખરીથી સજીવન કરે છે. ત્યાર બાદ સાસુ અને વહુ બન્ને ગાય વાછરડાનું પુજન કરે છે. આ દિવસે બોળચોથનો દિવસ હોવાથી પરંપરા મુજબ ગાયનુ પુજન થતું આવે છે.

પોતાના બન્ને હાથની હથેળીમાં ગોળ ચોળી ગાયને હથેળી ચાટવા આપવાથી જીવનમાં ભાગ્યોદય થાય છે અને બધા જ દુઃખો દુર થાય છે. ગાયોને ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે અને ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. બિમારીમાંથી મુક્તિ મળે છે તેમજ દરરોજ ગાયના પુજન અર્ચનથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે.

- text