- text
વાંકાનેર : વાંકાનેરના ગારીડા ગામે બે શખ્સો દ્વારા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ તાલુકા મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામે ૧૭ વર્ષની સગીરાને લખમણ ઉર્ફે લખો બેચર સરવૈયા અને અનિલ જેઠા ધોળકિયા લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયા હોવાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
સગીરાના પિતાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text