ટંકારાના નાના જડેશ્વર મંદિરે ૧૮મીએ સંતવાણી

- text


ટંકારા : ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિરે આગામી તા. ૧૮ને શનિવારના રોજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં આવેલા આસ્થાના કેન્દ્ર નાના જડેશ્વર મંદિરે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૧૮ને શનિવારે રાત્રે ૯ કલાકે સંતવાણી યોજાશે. જેમાં સંગીતાબેન લાબડીયા સહિતના કલાકારો ધૂન અને ભજનની રમઝટ બોલાવશે. આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

 

- text