મોરબી : રામ રહીમ ચેરી. ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨ ઓગસ્ટના રોજ ગાંધી ચોક ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન કેમ્પ તા. ૨ ઓગસ્ટને ગુરુવારના રોજ સિવિલ હોસ્પિટલે સવારે ૯ થી ૧ દરમિયાન યોજશે. ટ્રસ્ટના પ્રમુખ હુસેનભાઈ ભટ્ટી તેમજ આગેવાનો મનુભાઈ ભરવાડ, ગુલામભાઈ કટિયા, રાજુભાઇ દવે, બિલાલભાઈ ભટ્ટી, કૌશલભાઈ મહેતા, જગદીશભાઈ ઠાકોર, જનકભાઈ રાજા, મહેબૂબભાઈ કટિયા, અબ્બાસભાઈ માલાણી, શૈલેષભાઇ પ્રજાપતિ, વિજયભાઈ સીસોદીયા, હાજીભાઈ સમાં, મુસ્તકભાઈ બ્લોચ અને બશિરભાઈ પલેજા દ્વારા કેમ્પમાં હાજર રહી રક્તદાન કરવાનો જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text