ટંકારાના પ્રજાજનો માટે તાત્કાલિક ડાઇવર્ઝન કાઢવા સૂચના

- text


જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટીયાએ અધિકારીઓનો ઉધડો લીધો

ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા ગામમા રોડના કામમાં છાપરી બસસ્ટેન્ડથી વાંકાનેર, અમરાપર, ટોળ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાતા આ મામલે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ જિલ્લા પંચાયતના સદસ્ય તુરત હરકતમાં આવી આ રસ્તા માટે તાકીદે ડાઈવર્ઝન કાઢવા અધિકારીઓને સૂચના આપી છે.

- text

ટંકારા શહેરને જોડતા મુખ્ય માર્ગનુ કામ ભર ચોમાસે શરૂ થતા છાપરીથી સ્મશાન ગૃહ સુધી જવાનો રસ્તો બંધ થઈ જતા વાંકાનેર. અમરાપર ટોળ જડેશ્ર્વર અને ટંકારાના ગાયત્રી નગર ઉગમણા નાકાના શહેરીજનો પરેશાન હોવાના સમાચાર આજે મોરબી અપડેટમા પ્રસિદ્ધ થતા જ મોરબી જિલ્લા પંચાયતના મહેશ રાજકોટીયાના ધ્યાને આવતા આ બાબતે તાત્કાલિક જવાબદાર અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી આજની તારીખે સોલ્યુશન લાવવા કડક સુચના આપી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

- text