ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ભગવાનજીભાઈ કુંભરવાડિયાનો આજે જન્મદિન

- text


મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ભગવાનજીભાઈ કુંભરવાડિયાનો આજે જન્મદિવસ છે. બાળપણથી જ સંઘની ભાવનાથી રંગાયેલા ભગવણજીભાઈને આજે તેના જન્મદિવસની ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે.

બાળકોનું ઉજ્જવળ ભાવિ ઘડવાની પ્રબળ ઈચ્છાને કારણે તેઓએ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. તેઓએ ગ્રેજયુએશન બાદ બીએડની ડીગ્રી મેળવીને મોરબી જિલ્લાની ખ્યાતનામ સ્કૂલ કે.પી. હોથી ઉ.માં. વિદ્યાલયમાં મદદ શિક્ષક તરીકે નોકરી મેળવી હતી. આજે છેલ્લા ૧૬ વર્ષથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે.

- text

તેઓના હિન્દી અને ગુજરાતી વિષયમાં ધો.૧૨માં છેલ્લા ૧૬ વર્ષથી એક પણ વિદ્યાર્થી ફેઈલ થયો નથી. તેઓ છેલ્લા ૪ વર્ષથી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. આજે તેઓના જન્મદિવસ નિમિત્તે તેઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

- text