ટંકારા ના લજાઈ ચોકડી પાસે એસટી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : રિક્ષા ચાલક નું ઘટનાસ્થળે જ મોત.

- text


ટંકારા : બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ મોરબી રોડ પર ટંકારાના લજાઈ ચોકડી પાસે આજે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ મોરબી ભાવનગર જતી એસટી બસે રોગ સાઈડ મા આવી છકડો રિક્ષા ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક ભગવાનજી ભાઈ ભરવાડ રહે રાજકોટ ખોડીયાર નગર વાળા નુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું તો અકસ્માતને પગલે 108 ની જાણ કરતાં પાયલોટ રાજુ દુબરીયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ એસ ટી મા કોઈને ઈજા પહોંચી ન હતી જ્યારે રીક્ષા ચાલક ને સારવાર પહેલાજ ધટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું . ટંકારા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

- text