- text
વાંકાનેર : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ૮૫ વર્ષના વૃદ્ધાએ બીપી, હૃદયરોગ અને માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજયું હતું.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા મુક્તાબેન નટવરલાલ રામાનુજ ઉ.૮૫ નામના મહિલાએ ગઈકાલે રાત્રે પિતાના ઘેર બીમારીથી કંટાળી કેરોસીન છાટી અગ્નિસ્નાન કરી લીધું હતું.
- text
વધુમાં ગંભીર રીતે દાઝી ગયેલા મુકતાબેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
- text