- text
મોરબી : મોરબીના લીલાપર ગામના આંગણે તા.૨૭ને રવિવારે પ્રસિદ્ધ નાટક મચ્છુ તારા વહેતા પાણી અને કોમેડી નાટક માલી મતવાલી નાટક ભજવાશે.
પીઠડાઈ ગૌસેવા મંડળ પીઠડના યુવકો આગામી તા.૨૭ ને રવિવારના રોજ મોરબીના લીલાપર ગામના રામજી મંદિર ચોક ખાતે મોરબીની ગાથા વર્ણવતું પ્રસિદ્ધ નાટક મચ્છુ તારા વહેતા પાણી ભજવવામાં આવશે સાથે સાથે લોકોને પેટ પકડી હસાવતું હાસ્ય નાટક માલી મતવાલી પણ ભજવવામાં આવશે.
- text
લીલાપર ગામે યોજાનાર આ નાટક શો નો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text