- text
જળસંચય અભિયાનનું નિરીક્ષણ, સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત અને ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૨૫ના રોજ આદર્શ ગામ બગથળાની મુલાકાત લઈને જળસંચય અભિયાનના કામોનું નિરીક્ષણ તેમજ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરશે.
મોરબીના બગથળા ગામે આગામી ૨૫મીએ મુખ્યમંત્રી પધારી રહ્યા છે. જેને લઈને જિલ્લા કલેક્ટર માકડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, ડીડીઓ ખટાણા, અધિક કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓની હાજરીમાં બગાથળા ગામે આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.
- text
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબીના બગથળા ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ, પુર સંરક્ષણ દીવાલનું ખાતમુહૂર્ત અને નવનિર્મિત ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે.
- text