મોરબીના ગાળા ગામે કાલે બુધવારે રામામંડળ

- text


મોરબી: મોરબીના ગાળા ગામે આવતીકાલે તા.૨ ને બુધવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઈશ્રી ખોડિયાર રામામંડળ -રાસંગપર દ્વારા રામદેવ પીરનું જીવન વૃતાંત રજૂ કરવામાં આવશે.

મોરબીના ગાળા ગામે ગૌ શાળાની સામેના મેદાનમાં આવતીકાલે તા.૨ ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે રામામંડળ યોજાશે. ગાળા ગામના સેવાભાવી અગ્રણી રૂગનાથભાઈ શિવાભાઈ કુંડારીયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આઈશ્રી રામામંડળ-રાસંગપર દ્વારા રામદેવ પીરનુ જીવન ચરિત્ર સંગીતથી ભરપૂર શૈલીમાં રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા આયોજક દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

 

- text