- text
વાંકાનેર : વાંકાનેરમાં પરિણીતા ત્રણ સંતાનોને લઈ અન્ય સાથે ભાગી જવા ઉપરાંત બીમારીને કારણે પતિએ ઉંદર મારવાની દવા પી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભોજપરામાં રહેતા રફીક ઇસ્માઇલભાઈ ખફી ઉ. ૪૨ નામના યુવાને ગત રાત્રીના ઉંદર મારવાની દવા પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- text
વધુમાં પત્ની મુની ત્રણ સંતાનોને લઈ અન્ય સાથે ભાગી ગઈ હોવા ઉપરાંત પોતાને ડાયાબીટીઝની બીમારી હોય કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસ નિવેદનમાં જણાવનાર રફીકભાઈએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
- text