મોરબીમાં પરિણીતાના મોત મામલે પરિવારજનો ની સાસરિયા પક્ષ સામે ફરિયાદ

- text


માનસિક ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ ૭ માં માળેથી ઝંપલાવ્યું હોવાનો પરિવારજનોનો ઘટસ્ફોટ

મોરબી : મોરબી નજીક હાઈવે પરના સિરામિક સિટીમા કપડાં સુકવતી વેળાએ ૭માં માળેથી નીચે પટકાતા પરિણીતાનું મોત નીપજ્યું હતું. બાદમાં આ બનાવમાં નવો વણાંક આવ્યો હતો જેમાં પરિણીતાના પરિવારજનોએ સાસરિયા પક્ષના ત્રાસથી તેમની દીકરીએ આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર નજીક આવેલી સિરામિક સીટીમાં રહેતા રિદ્ધિબેન ડેનીશભાઈ દેકાવાડીયા નામની પરિણીતા પોતાના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે ખાબકતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પરિણીતા કપડાં સુકવતી વેળાએ અકસ્માતે નીચે પટકાયા હોવાનું જાહેર થયું હતું પરંતું પરિણીતાંના પરિવારે સાસરિયાના ત્રાસ થી પરિણીતાએ આપઘાતનું પગલું ભર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાના જામ જોધપુર રહેતા પિતા વૃજલાલ મેઘજીભાઈ પરસાણીયાએ તેમની દીકરીના પતિ ડેનિશ જગદીશ દેકાવાડીયા, સાસુ મીનાબેન, સસરા જગદીશભાઈ અને નણંદ જિન્તાબેન સામે શારીરીક માનસિક ત્રાસ આપી ટીમની દીકરીને આપઘાત કરવા મજબુર કાર્યની ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text