- text
મોરબી: મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ બંધુનગર ગામ નજીક પગપાળા જતા આઘેડને ટ્રક ચાલકે હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ નવગામ અને હાલ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કિશોરભાઈ નારણીયા (ઉ.વ.૫૫) રાત્રીના મોરબી વાંકાનેર હાઈવે પર પગપાળા ચાલીને જતા હતા તે દરમિયાન બંધુનગર નજીક સર્વિસ રોડ પર પુરપાટ આવતા ટ્રક ચાલકે મનસુખભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
- text
આ મામલે મૃતકના ભાઈ લાલજીભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text