- text
મોરબી : થોરડા ગામના એક ખેડૂતના ખેતરમાં બુધવારે મોડી રાત્રીના તૈયાર જીરૂના પાકમાં કોઈ કારણસર આગ લાગી જતા અંદાજે 35થી 40 મણ કિંમત રૂ.1.20 લાખના જીરુંમાં આગ બળીને ખાખ થઈ ગયો હતો.બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- text
આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના થોરડામાં રહેતા વિઠ્ઠલભાઈ નરસીભાઈ અંબાણીએ 5 વિઘા જમીનમાં વાવેલા 35થી 40 મણ જીરુંના પાકમાં બુધવારે કોઈ કારણસર આગ લાગી જતા અંદાજે 1.20 લાખનું જીરું બળીને ખાખ થઈ જતા ખેડૂતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસ બળેલ જીરુંના નમૂના મેળવી એફએસએલ માં મોકલ્યા હતા.અને આગ કુદરતી રીતે લાગી છે કે લગાવવામાં આવી છે તે અંગે તપાસ હાથ ધરી હતી.
- text