ટંકારા : ચાલુ ફરજે અવસાન પામનાર તલાટી કમ મંત્રીના પરિવારને સહાય ચૂકવાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે ફરજ બજાવતા નાની વયના તલાટી કમ મંત્રીનું ચાલુ ફરજે અવસાન થતાં સરકાર દ્વારા તેમના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામેં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કરોતરાનું ચાલુ ફરજે અવસાન થતા ગ્રામજનોના શોક વ્યાપી હતો. સરકારની યોજના મુજબ ચાલુ ફરજે અવસાન પામનાર કર્મચારીના પરિવાર ને મદદરૂપ થવા માટે તા.૨૬ ના રોજ ઓટાળા ખાતે યોજાયેલ પ્રજાસતાક દિનની ઉજવણી પ્રસંગે મામલતદાર બી.કે.પંડ્યા, બી.એસ. પટેલ અને પ્રવીણભાઈ પરમારના હસ્તે રૂ.ચાર લાખનો ચેક જગદીશભાઈ કરોતરાના પરિવાર ને અર્પણ કરવામાં આવ્યો હતો.

- text