મોરબીમાં  મહાન સંત રોહિદાસબાપુની શોભાયાત્રા યોજાઇ

- text


સમસ્ત મોરબી જિલ્લા દલિત સમાજ દ્વારા પ્રથમ વખત શોભાયાત્રાનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા સમસ્ત દલિત સમાજ દ્વારા આજે સૌ પ્રથમવાર મહાન સંત એવા રોહિદાસ બાપુ ની ૬૪૧મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

- text

સમસ્ત દલિત સમાજ મોરબી જિલ્લા દ્વારા પ્રથમ વખત જ સંત રોહોદાસ બાપુની જન્મ જયંતિ નિમીતે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું  હતું.જેમાં  સવારે ૮:૦૦ કલાકે ઉમિયા નગર મોરબી-૨ થી શોભાયાત્રા શરૂ થઇ હતી અને  દરબાર ગઢ, નહેરુ ગેટ થઈ ગાંધીચોક આવી અને બાદમાં આ શોભાયાત્રા  રોહિદાસબાપુના મંદિર રોહિદાસ પરા સુધી બાઇક રેલી સ્વરૂપે પહોંચી હતી.

આજની આ શોભાયાત્રામાં મોરબી શહેર જિલ્લાના સમસ્ત દલિત સમાજ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને શોભાયાત્રાને સફળ બનાવવા ગૌતમભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

- text