ધુનડામાં યુવાનના આપઘાત પ્રકરણમાં બે વિરુદ્ધ મરવા મજબૂર કર્યા અંગે ફરિયાદ

- text


બળાત્કારની ફરિયાદ પછી ખેંચવા નાણાં માંગતા હોવાની યુવકના પિતા દ્વારા ફરિયાદ

ટંકારા : ટંકારાના સજનપર ધૂનડા ગામના યુવાને એસિડ પી આપઘાત કરી લેવા પ્રકરણમાં મૃતકના પિતાએ બે શખ્સો વિરુદ્ધ મારવા મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ સજનપર ધૂનડાના ધર્મેશ ગીરીશભાઈ શેરસિયા નામના યુવાને એસિડ પી આપઘાત કરી લેતા આ મામલે તેના પિતા ગીરીશભાઈ શેરસિયાએ અગાઉ થયેલ બળાત્કારની ફરિયાદ મામલે ધવલ વડગામડિયા અને હસમુખ વડગામડિયા પોતાના પુત્ર પાસે સમાધાન બાબતે નાણાંની માંગ કરતા હોવાથી તેમના પુત્રે આપઘાત કર્યાનું જણાવ્યું હતું.

આ મામલે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text