- text
વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક વિજતંત્રની બેદરકારીના પાપે કુદરતી હાજતે જવા નીકળેલા શ્રમિકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
વાંકાનેર હાઇવે ઢુવા નજીક વરમોરા ફેકટરીના નાલા પાસે ઇલેવન કેવી વિજલાઈનનો તાર તૂટેલ હોય ત્યાં કોઈ અજાણ્યો મજૂર કુદરતી હાજતે જતા તેનો પગ તાર પાર આવી જતા વિજશોક લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને આજુબાજુ સુકા ઘાસમાં પણ આગ લાગી હતી.
- text
આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
- text