મોરબીમાં મકાન ખાલી કરાવવાં મુદ્દે હત્યા

- text


વિશિપરા વિસ્તારમાં ભાડાના મકાન મુદ્દે બ્રાહ્મણ યુવાનની લોથ ઢળી

મોરબી : મોરબીના વિશિ પરા વિસ્તારમાં ભાડાનું મકાન ખાલી કરાવવા મુદ્દે બે મુસ્લિમ યુવાને બ્રાહ્મણ યુવાનની લોથ ઢાળી દેતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં સદામ નામના વ્યક્તિના ભાડાના મકાનમાં રહેતા કાનજીભાઇ લાભશંકરભાઈ ચાવ નામના બ્રાહ્મણની સમિરશા યાકુબશા શાહમદાર અને તેના મિત્રે મળી હત્યા કરી નાખતા આ મામલે સીમાબેન બલવંતભાઈ ચાવડા નામના મહિલાએ ઉપરોક્ત બન્ને શખ્સોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

ઘટના અંગે બી ડિવિઝન પોલોસે ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text