પ્રાસલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ કૃપાલીના બેસણામાં હાજરી આપતા સ્વામી ધર્મબંધુજી

- text


પરિવારજનોને 3લાખની સહાય ચૂકવી,

- text

પ્રાસલા ખાતેની રાષ્ટ્રીય શિબિરમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ વિધાર્થીનીઓના દાઝી જવાથી મોત નિપજ્યા હતા જે પૈકી એક મોરબીના વાવડી ગામના અશોકભાઈ દવેની પુત્રી કૃપાલીનું થયું હતું જેનું આજે મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલી વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું.આ બેસણામાં શિબિરના આયોજક સ્વામી ધર્મબંધુ હાજર રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. અને કૃપાલીના આત્માને શાંતિ આપવા અને પરિવારને દુઃખમાંથી બહાર આવવા પ્રાથના કરી હતી.તેમજ દુર્ઘટના વખતે જાહેર કરેલી રૂ.3લાખની રકમ પરિવારને આપી હતી.આ ઉપરાંત સમજુબા વિદ્યાલય દ્વારા પણ કૃપાલીના પરિવારજનો ને 1 લાખ ની સહાય કરવામાં આવી હતું આ તકે ધર્મબંધુએ જણાવ્યું હતું કે મૃતકની ખોટ પુરી શકાય તેમ નથી.અને હું અહીં સહાય આપવા નહિ પરંતુ તેમના દુઃખ માં સહભાગી થવા આવ્યો છો

- text