મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જીનીગ મિલમાં આગ લાગી

- text


મોરબી : મોરબી શનાળા બાઈપાસ પાસે આવેલી ગોકળદાસ પ્રાગજી જીનિંગ મિલમાં આજે સાંજે અચાનક જ રૂની ગાંસડીના જથ્થામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે જીનીગ મિલમાં પડેલા રૂનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જોકે ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવીને મોટી નુકસાની અટકાવી હતી. આ ઘટનામાં મિલના માલિકના જણાવ્યા મુજબ કોઈ જાનહાની થઈ નથી તેમજ આગ કયા કારણોસર લાગી છે તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

- text