મોરબીમાં જુનાઘાંટીલા ગામનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : જુનાઘાંટીલા ગામનાં તમામ મોરબી વાસીઓનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ મોરબીમાં મોર્ડનહોલ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૂનાઘાટીલાના મોરબી રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ સંહે મિલન કાર્યક્રમમાં જુનાઘાંટીલા ગામનાં તમામ તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યું. તેમજ મહંત શ્રી દામજીભગતે હાજરી આપી આર્શિવચન પાઠવ્યા હતા.મહંત દામજીભગતે પોતાના પ્રવચનમાં ગામની એકતા પર ભાર મુક્યો હતો. અને આવા સુંદર આયોજન ના વખાણ કરી અન્ય ગામોએ પણ જુના ઘાટીલા સોશ્યલ ગ્રુપના કાર્યની નોંધ લઇ તેનું અનુકરણ કરવાની પેહલ કરી હતી.
આ વર્ષે મોર્ડનહોલ ખાતે યોજાયેલા આ સંહે મિલન કાર્યક્રમને સફળ બનાવા જુનાઘાંટીલા સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી અમ્રુતલાલ એન.વિડજા અને ઉપ પ્રમુખ શ્રી લલિત બી. ગઢીયા ના વડપણ હેઠળ તેમજ સોશિયલ ગ્રુપની ટીમે ભારે જેહમત ઉઠાવી હોવાનું ગામના આગેવાન ભાવિકભાઈ વિડજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું.

- text