હળવદ- માળિયા હાઈવે પર ગોઝારો અકસ્માત : 3ના મોત

- text


લગ્ન પ્રસંગ માટે જઈ રહેલા પરિવારને સુસવાવ પાસે નડયો અકસ્માત ન : 3 ઈજાગ્રસ્ત

હળવદ : અંજારથી રાજેસ્થાન લગ્ન પ્રસંગ માટે જઈ રહેલા પરિવારને હળવદ- માળિયા હાઈવે પરના સુસવાવ પાટીયા ગોઝારો અકસ્માત સર્જાતા 3ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જયારે 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ બાદ વધું સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ કચ્છના અંજાર તાલુકાથી આવી રહેલ પંજાબી પરિવારની કાર ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં પુનમબેન પવનકુમાર શર્મા (ઉ.35) રહે.ગળપાદર, રાકેશભાઈ સુદ (ઉ.29) રહે.અંજાર, અનિલ ડાભી (ઉ.31) રહે. અંજારના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જયારે આયુષ પવન શર્મા (ઉ.12), સંધ્યા વિજયકુમાર સુત (ઉ.20), નિલમ અનિલ ડાભી (ઉ.23)ને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ મૃતકની લાશને હળવદ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

- text