મોરબી-માળીયા ઉમિયા પરિવાર દ્વારા ૨૧ જાન્યુઆરીએ ૧૯ મો સમુહલગ્નોત્સવ

- text


બગથળા મુકામે યોજાશે ભવ્ય સમુહલગ્નોત્સવ:તડામાર તૈયારી

મોરબી:મોરબી-માળીયા ઉમિયા પરિવાર દ્વારા આગામી તા.૨૧ જાન્યુઆરીના રોજ મોરબીના બગથળા મુકામે ૧૯મો સમુલગ્નોત્સવ યોજવામાં આવશે આ માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મોરબી-માળીયા ઉમિયા પરિવાર લગ્ન સમિતિની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.૨૧ જાન્યુઆરીને રવિવારના રોજ બગથળા મુકામે સમુહલગ્નોત્સવ યોજાશે, આ સમુહલગ્નમાં ભાગ લેવા ઇચ્છતા વર-કન્યાના માતા-પિતાએ આગામી તા.૧-૧૨ થી ૩૧-૧૨ સુધીમાં શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ,એફ-૨૯ આશાપુરા ટાવર,નવા બસસ્ટેન્ડ સામે નોંધણી કરવી જવા જણાવાયું છે.

- text

વધુમાં આ લગ્નોત્સવમાં ભાગ લેવા માટે વર-કન્યાના જન્મના પ્રમાણપત્રો,ચૂંટણી કાર્ડ,આધારકાર્ડ,પાસપોર્ટ સાઈઝના ફોટા અને માતા-પિતાના અધારકાર્ડની નકલ સાથે જોડવાની રહેશે.વધુ વિગતો માટે નંદલાલભાઈ વિડજા મો.૯૮૨૫૨ ૫૬૦૧૧,શિવલાલભાઈ ઓગણજા મો.૯૯૨૫૩ ૭૨૬૭૨ અથવા ઈશ્વરભાઈ સબાપરા મો.૯૪૨૭૨ ૭૨૫૧૦ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text