ગુજરાતમાં જયનો વિકાસ થઈ ગયો : જીગ્નેશ મેવાણી

- text


મોરબીની મુલાકાતે આવેલા જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મોરબી:મોરબીની મુલાકાતે આવેલા જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકારને આડે હાથ લઈ પ્રજાનો વિકાસ થવાને બદલે જય નો વિકાસ થયો હોવાનું જણાવી અમિત શાહ ઉપર કટાક્ષ કર્યો હતો.

- text

મોરબીમાં દલિત સમાજના યુવાનોને સંબોધતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે નોટબંધીની લાઈનમાં સામાન્ય લોકો જ દેખાયા હતા કોઈ ઉદ્યોગપતિ કેમ નહિ. તો ભગવો પહેરનાર સામે કટાક્ષ કરીને જણાવ્યું હતું કે ભગવો પહેરીને મત માંગવા આવે તેને ઘેરાવ કરો અને દોડાવો. હિન્દુત્વ રાજ્ય ન બન્યું તો લોકો ભાજપના નેતાઓના ઝભ્ભા ફાડીને દોડાવશે. વિધાનસભા ચુંટણીમાં ગુજરાતની જનતા ફુગ્ગામાં પીન મારીને હવા કાઢી નાખશે તેમ કહીને ચુટણીમાં એક નાગરિક બનીને મતદાન કરવા હાકલ કરી હતી.

વધુમાં તેમણે અસ્પૃશ્યતા દુર કરી સમાન શિક્ષણ આપવાની માંગ કરી હતી. સફેદ અને કાળી દાઢી વિષે પણ કટાક્ષ કર્યો હતો. વિકાસનો જય થશે પરંતુ જયનો વિકાસ થઇ ગયો હોવાનું જણાવીને અમિત શાહ પર પણ પ્રહારો કર્યા હતા.

- text