મોરબીમાં બ્રહ્મસમાજનો તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીમાં સૌરાષ્ટ્ર કચ્છનાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ -2017 આગામી મહિનામાં યોજશે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનની સાથે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા સન્માનિત વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. તેથી ધો.10 થી અનુસ્નાતક કક્ષા સુધીનાં તમામ બ્રહ્મ સમાજનાં વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટને ગેઝેટડ ઓફિસર પાસે એટેસ્ટેટ કરાવી, પોતાનુ સરનામું મોબાઇલ નંબર લખીને તા.30-9 સુધી ડૉ.અનિલભાઇ મહેતા, એમ, 877 ગુજરાત હાઉસીંગ બોર્ડ શાનાળા રોડ મોરબી ખાતે પહોચાડી દેવા સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનાં પ્રમુખ ડૉ.અનિલભાઈ મહેતા અને ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

- text

- text